કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી
કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી
તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરી જરૂરિયાત મંદોને ટેકો આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા
જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી : મંત્રીશ્રી
જામનગર તા.૩૧ ઓગસ્ટ, રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા.
બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે.
મંત્રીશ્રીએ ખેડૂતો, અસરગ્રસ્ત લોકો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
તેઓની આ મુલાકાતમાં અગ્રણીશ્રીઓ મુકુંદભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, અતુલભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ કણજારીયા, રણછોડભાઈ પરમાર, અધિકારીશ્રીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment